આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુને યમન રવાના કરતી વખતે કેટલીક અગત્યની શિક્ષાઓ શીખવાડી, તેમાંથી એક મુસલમાન પાસેથી ગાયની ઝકાત બાબતે શિક્ષા આ પ્રમાણે આપી, જે વ્યક્તિ પાસે ત્રીસ ગાય હોય, તેણે ઝકાત રૂપે એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય આપવી પડશે, અને જેની પાસે ચાળીસ ગાયો હોય, તેણે બે વર્ષની ગાય આપવી પડશે. તેમજ યહૂદી અને નસારાના દરેક પુખ્તવય લોકો પાસેથી એક દીનાર જિઝયો (કર) લેવામાં આવશે, અથવા તેના બરાબર યમનનું એક ખાસ કપડું જેનું નામ મૂઆફરી છે, તે લેવામાં આવશે.