આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે કોઈ પણ મુસલમાન પાસે વસીયત કરવા માટે કોઈ મિલકત અથવા અધિકાર હોય, ભલે તે નાની હોય કે મોટી, તો તે ત્રણ રાતો કરતાં વધુ તે વસીયત લખ્યા વિના પસાર ન કરે. અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: જ્યારથી મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત સાંભળી છે ત્યારથી મારી એક પણ રાત વસીયતનામુ લખ્યા વિના પસાર નથી થઈ.