અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શુ તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા», જિબ્રઇલે કહ્યું: «"બિસ્મિલ્લાહિ અરકીક, મિન્ કુલ્લિ શયઇન્ યુઅઝિક, મિન શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ્ અય્નિન્ હાસિદિન્, અલ્લાહુ યશ્ફીક બિસ્મિલ્લાહિ અરકીક" (અર્થ: અલ્લાહના નામથી હું આપના પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે આપને તકલીફ પહોંચાડે, દરેક સજીવ અને ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી (હિફાજત માટે), અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામથી તમારા પર દમ કરું છું)». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શું તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હા. તો જિબ્રઇલ અલૈહિસ્ સલામએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ દુઆ દ્વારા દમ કર્યો: «"બિસ્મિલ્લાહિ" (અલ્લાહના નામથી)», અલ્લાહથી મદદ માંગતા, «"અરકીક" (હું તમારા પર દમ (રુકિય્યહ) કરું છું )», તારી શરણ ઈચ્છું છું, «"મિન કુલ્લિ શયઇન્ યુઅઝિક" (દરેક વસ્તુથી જે તમને ઈજા પહોંચાડે છે)», તે મોટી હોય કે નાની, «"મિન શર્રિ કુલ્લિ નફ્સિન્" (દરેક આત્માની દુષ્ટતાથી)» નાપાક લોકો, «"અવ્ અય્નિન્ હાસિદિન્" (દરેક ઈર્ષા કરનારની નજરથી)», જે તમારા પર પડે છે, તો અલ્લાહ «"યશ્ફીક" (તમને શિફા આપે)», દરેક પ્રકારની બીમારીઓથી અલ્લાહ તમારી રક્ષા કરે, «"બિસ્મિલ્લાહિ અરકીક" (અલ્લાહના નામથી હું તમારા પર દમ કરું છું)», પુષ્ટિ માટે બે વખત વર્ણન કર્યું, અને દુઆની શરૂઆત અને અંત પણ તેની સાથે જ કર્યો, જેથી તે વાતની પુષ્ટિ થઇ જાય કે અલ્લાહ સિવાય કોઈ ફાયદો અને નુકસાન પહોંચાડી શકતું નથી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • પરિસ્થિતિની વાસ્તવિકતાના જણાવવા બીમારીની જાણ કરવી માન્ય છે, ફરિયાદ કે રોષથી નહીં.
  • વર્ણવેલ શરતો સાથે દમ (રુકિ ય્યહ) કરી શકાય છે: ૧- દમ કુરઆન મજીદ અથવા અલ્લાહના ઝિક્ર દ્વારા અથવા સાબિત દુઆઓ દ્વારા કરવામાં આવે. ૨- અરબી ભાષામાં કરવામાં આવે, અથવા જાણીતા અર્થ સાથે અન્ય ભાષામાં પણ કરી શકાય છે. ૩- તે અકીદા સાથે કે દમ જાતે અસરકારક નથી, પરંતુ તે તો એક સ્ત્રોત છે, તેમાં અસર અલ્લાહની પરવાનગીથી હોય છે. ૪- શિર્ક, બિદ્અત અથવા શરીઅત વિરુદ્ધ પવિત્ર દમ હોવો જોઇએ.
  • નજરે બદ (ખરાબ) થતા સત્ય અને હક છે, તેથી તેનાથી બચવા માટે સુન્નતથી સાબિત દુઆઓ પઢવામાં આવે.
  • હદીષમાં વર્ણવેલ શબ્દો દ્વારા દમ કરી શકાય છે.
  • આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ અન્ય માનવી જેવા છે, તે પણ એ જ બીમારીઓથી પીડાય છે, જેનાથી બીજા લોકો પીડાય છે.
  • અલ્લાહ દ્વારા પોતાના પયગંબર પ્રત્યેની કાળજી અને તેમનું રક્ષણ, અને આ કામ ફરિશ્તાઓને સોંપવામાં આવ્યું છે.
explain-icon

વધુ