આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં એક દરવાજો હશે જેનું નામ: બાબુર્ રય્યાન હશે, કયામતના દિવસે તેમાંથી ફકત રોજેદારો દાખલ થશે, તેમના સિવાય કોઈ પણ દાખલ નહીં થાય, એક અવાજ લગાવવામાં આવશે: રોજેદારો ક્યાં છે? તેઓ ઊભા થશે અને દાખલ થશે, તેમના સિવાય કોઈ પણ દાખલ નહીં થાય, જ્યારે અન્ય કોઈ દાખલ થવા ઇચ્છશે, તો દ્વાર બંધ કરી દેવામાં આવશે, ત્યાર પછી કોઈ પણ દાખલ નહીં થઈ શકે.