આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ હદીષે કુદસીમાં કહ્યું: અલ્લાહ તઆલા આદમની સંતાનની દરેક નેકીનો બદલો દસથી લઈ કે સાતસો ઘણો આપે છે, સિવાય રોઝાના; એટલા માટે કે તે મારા માટે છે અને તેમાં દેખાડો નથી હોતો, અને હું જ તેનો બદલો આપીશ, માટે હું જ રોઝાના બદલાના ગણતરી અને તેના બમણા થવાની હદ જાણું છું. પછી કહ્યું: (રોઝો ઢાલ છે) જહન્નમથી બચાવ માટે કવચ છે; કારણકે રોઝા દરેક મનેચ્છાઓથી અને ગુનાહ કરવાથી રોકે છે, જો કે જહન્નમ તો મનેચ્છાઓથી ભરેલી છે. (જ્યારે તમારા માંથી કોઈ રોજદાર હોય તો તે વ્યર્થ કાર્ય ન કરે) અર્થાત્ સંભોગ અને ત્યાં સુધી લઈ જનારા દરેક કાર્યો તેમજ અશ્લીલ વાતો. (અને ન તો રાડો પાડે) અર્થાત્ ઝઘડો કરી બુમો પાડવી અને ચીસો પાડવી. (જ્યારે કોઈ તેને ગાળો આપે અથવા તો ઝઘડો કરે) રમઝાનમાં તો તેણે કહેવું જોઇએ: હું રોજેદાર છું; કદાચ તે રુકી જાય, જો તે લડાઈ કરવા પર જોર કરે તો તેને સરળતાથી દૂર કરવો જોઈએ, જે પ્રમાણે એક વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં તેની સાથે ઝઘડો કરનાર વ્યક્તિને કરતો હોય છે, સહેજ ધક્કો મારી દૂર કરવો જોઈએ. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ ખાધી કે કસમ છે તે ઝાતની, જેના હાથમાં મોહમ્મદના પ્રાણ છે, રોઝાના કારણે રોજદારના મોઢા માંથી આવતી સુગંધ અલ્લાહ પાસે મુશક (એક પ્રકારની ખુશ્બુ) કરતા પણ વધુ સુગંધિત છે, અને તે ખુશ્બુ કરતા વધુ પ્રિય છે, જે ખુશ્બુ તમારા માટે જુમ્માની નમાઝ અને ઝિક્રની મજલીસમાં મુસ્તહબ છે. રોજદાર માટે બે ખુશીઓ છે: જ્યારે તે ઇફતારી કરે છે, ત્યારે ખુશ થાય છે કારણકે તેની ભૂખ અને તરસ ખત્મ થઈ ગઈ, અને રોઝો પૂરો થયો તેમજ તેની ઈબાદત પૂર્ણ થઈ, તેના પાલનહાર તરફથી શાંતિ અને રોઝો તેના માટે ભવિષ્યમાં મદદરૂપ સાબિત થશે. (જ્યારે તે પોતાના પાલનહારથી મુલાકાત કરશે, તો ખુશ થઈ જશે) પોતાના રોઝાનો બદલો અને સવાબ જોઈ.