અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સાત વસ્તુઓ કરવાનો આદેશ આપ્યો અને સાત વસ્તુઓથી રોક્યા, આદેશ આપેલ કાર્યો નીચે મુજબ છે: પહેલું: બીમારની ખબરગીરી કરવી. બીજું: જનાઝહમાં જવું, નમાઝ, દફનવિધિ, તેમજ દુઆમાં શરીક થવું. ત્રીજું: છીંકનાર વ્યક્તિ જ્યારે અલ્ હમ્દુ લિલ્લાહ કહે તો તેના માટે દુઆ કરવી અને કહેવું: યર્હમકલ્લાહ (અલ્લાહ તમારા પર કૃપા કરે). ચોથું: સોગંદ લેનાર વ્યક્તિની સોગંદ પૂરી કરવી અને તેના પર વિશ્વાસ રાખવો, તેનો અર્થ એ કે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ પર સોગંદ લે અને તમે તેને પૂર્ણ કરવામાં સક્ષમ હોવ તો, તમે તેમ કરો, જેથી તેને તેની સોગંદનો કફ્ફારો આપવો ન પડે. પાંચમું: પીડિત વ્યક્તિની મદદ કરવી, જાલિમ તરફથી આવતા દરેક નુકસાનને પોતાની શક્તિ વડે રોકવા અને દૂર કરવા. છઠ્ઠું: જો કોઈ વ્યક્તિ તમને વલીમાની દાવત આપે, તો તેની દાવત સ્વીકારવી, જેમકે શાદીના વલીમાની દાવત, અકીકાની દાવત વગેરે. સાતમું: સલામ કરવું, સલામ ફેલાવવું અને તેનો જવાબ આપવો. અને જે કાર્યોથી રોક્યા છે તે નીચે મુજબ છે: પહેલું: સોનાની વીંટી પહેરાવથી અને તેને શણગાર રૂપે અપનાવવી. બીજું: ચાંદીના વાસણોમાં પીવું. ત્રીજું: મયાષિર પર બેસવાથી, તે રેશમની ગાદીઓ, જે ઘોડાની કાઠી અથવા ઊંટની ખૂંધ પર મૂકવામાં આવે છે. ચોથું: રેશમ સાથે મીક્ષણ કરી બનાવવામાં આવેલા કપડાં જેને (અલ્ કસ્સી) કહેવામાં આવે છે. પાંચમું: રેશમના કપડાં પહેરવાથી. છઠ્ઠું: ઇસ્તબ્રક પહેરવાથી, અને તે: રેશમના મોટા (જાડા) કપડાંથી. સાતમું: દિબાજ પહેરવાથી, અને તે: રેશમના ખૂબ જ કીમતી અને શ્રેષ્ઠ પ્રકારના વસ્ત્રો છે.