આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક વ્યક્તિએ સવાલ કર્યો અને કહ્યું: અમે સમુંદરમાં શિકાર અથવા વેપાર ધંધાના હેતુથી સફર કરીએ છીએ, અમારી પાસે ચોખ્ખું પાણી થોડુંક જ હોય છે, જો અમે તેને વઝૂ અથવા સ્નાન માટે ઉપયોગમાં લઈશું તો અમારી પાસે પીવા માટે પાણી નહીં રહે, તો શું અમે સમુંદરના પાણીથી વઝૂ કરી શકીએ છીએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે સમુંદરનું પાણી પાક પાણી છે અને તેમાં પાક કરવાની ગુણવત્તા હોય છે, તેનો ઉપયોગ વઝૂ અને સ્નાન માટે કરી શકો છો; અને તેમાંથી જે કંઈ માછલી,વ્હેલ વગેર, ભલેને તે મૃતક સ્થિતિમાં હોય, અને તે પાણીના તરીયે તરતી હોય.