અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ડરતુ નથી - શું તમારા માંથી કોઈ ડરતુ નથી - જ્યારે તે ઈમામ પહેલા પોતાનું માથું ઉઠાવી લે, તો અલ્લાહ તેના માથાને ગધેડાના માથા માફક કરી દેશે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં નબી ﷺ એ તે લોકો માટે સખત ચેતવણી વર્ણન કરી છે જેઓ પોતાનું માથું ઈમામ પહેલા ઉઠાવી લે છે, કે અલ્લાહ તેમના માથાને ગધેડાના માથા માફક કરી દે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે.
હદીષથી મળતા ફાયદા
ઈમામની પાછળ નમાઝ પઢનાર વ્યક્તિ માટે ચાર સ્થિતિઓ છે: જેમાંથી ત્રણ હરામ છે, અને તે એ કે મુકાબલો કરવો, બરાબરી કરવી, વિલંભ કરવો, અને જે જાઈઝ તે: ઈમામનું અનુસરણ કરવું.
નમાઝમાં ઈમામનું અનુસરણ કરવું વાજિબ છે.
આ હદીષમાં ઈમામ પહેલા જે પોતાનું માથું ઉઠાવે તેના માટે જે સખત ચેતવણી વર્ણન કરવામાં આવી છે કે તેનું માથું ગધેડાની માફક કરી દેવામાં આવશે, તેનો અર્થ તેનો ચહેરો બદલી નાખવામાં આવશે.