બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ જે સાચા છે, જણાવ્યું કે જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રુકૂઅ કરી માથું ઉઠાવતા અને કહેતા: સમિઅલ્લાહુ લિમન્ હમિદહ, તેમની પાછળના લોકો ઊભા રહેતા અને કોઈ પણ સિજદામાં ન જતા, જ્યાં સુધી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાનું કપાળ જમીન પર ન મુકતા અને પછી તેઓ તેમની પાછળ સિજદો કરતા.