મોમિનોના આગેવાન, અલી બિન અબૂ તાલિબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે જો તમે મને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કોઈ વાત વર્ણન કરતા સાંભળો, તો હું ન તો આલંકારિક ભાષાનો ઉપયોગ કરીશ, ન તો સંકેતો અને ન તો અસ્પષ્ટ નિવેદનો; તેના બદલે, હું સ્પષ્ટ બોલીશ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું બોલવા કરતા હું આકાશ માંથી નીચે પડી જવું વધુ સહેલું ગણીશ, પરંતુ જો હું મારા અને લોકો વચ્ચેની બાબતો વિષે વાત કરું તો, યુદ્ધ એક પ્રકારની છેતરપિંડી છે, તો હું મારી વાતમાં આલંકારિક ભાષા, બે અર્થ વાળા શબ્દોનો ઉપયોગ કરી શકું છે, ખરેખર મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: અંતિમ સમયે એવા યુવાનો આવશે, જે નાના દાંતવાળા, અને મંદ બુદ્ધિ હશે, તે કુરઆનના શબ્દોને નકલ કરી તેની વારંવાર તિલાવત કરશે, પરંતુ તેઓ ઇસ્લામને છોડી દેશે અને તેના આદેશોનું ઉલંઘન કરી એ રીતે બહાર નીકળી જશે જેમ તીર પોતાના નિશાન પાસેથી પસાર થઈ જાય છે, તેમનું ઈમાન તેમના ગળાથી નીચે નહિ ઉતરે, જ્યાં પણ તમે તેમનો સામનો કરો, તેમને મારી નાખો; કારણ કે તેમની હત્યા કરનારાઓ માટે આખિરતના દિવસે સવાબ આપવામાં આવશે.