અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જો હું તમને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી કંઈપણ સંભળાવીશ, તો તેમના વિશે જૂઠું બોલવા કરતાં આકાશમાંથી નીચે આવવું મારા માટે વધુ પ્રિય છે, પરંતુ જો હું તમારી સાથે મારી અને તમારી વચ્ચેની બાબતો વિશે વાત કરું, તો યુદ્ધ છેતરપિંડી છે. મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «અંતિમ સમયે એક એવી કોમ આવશે, જે નાના દાંતોવાળા, મંદબુદ્ધિ અને મૂર્ખ હશે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ વાતો કહેશે, પરંતુ ઇસ્લામ માંથી એવી રીતે નીકળી ગયા હશે જે રીતે તીર નિશાનાની બાજુથી પસાર થઈ જાય છે તેમનું ઈમાન તેમના ગળાની નીચે નહીં ઉતરે, તમે તેમને જ્યાં પણ જુઓ કત્લ કરી દો; કારણકે તેમની હત્યા કરનારને આખિરતમાં સાવબ મળશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

મોમિનોના આગેવાન, અલી બિન અબૂ તાલિબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે જો તમે મને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કોઈ વાત વર્ણન કરતા સાંભળો, તો હું ન તો આલંકારિક ભાષાનો ઉપયોગ કરીશ, ન તો સંકેતો અને ન તો અસ્પષ્ટ નિવેદનો; તેના બદલે, હું સ્પષ્ટ બોલીશ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું બોલવા કરતા હું આકાશ માંથી નીચે પડી જવું વધુ સહેલું ગણીશ, પરંતુ જો હું મારા અને લોકો વચ્ચેની બાબતો વિષે વાત કરું તો, યુદ્ધ એક પ્રકારની છેતરપિંડી છે, તો હું મારી વાતમાં આલંકારિક ભાષા, બે અર્થ વાળા શબ્દોનો ઉપયોગ કરી શકું છે, ખરેખર મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: અંતિમ સમયે એવા યુવાનો આવશે, જે નાના દાંતવાળા, અને મંદ બુદ્ધિ હશે, તે કુરઆનના શબ્દોને નકલ કરી તેની વારંવાર તિલાવત કરશે, પરંતુ તેઓ ઇસ્લામને છોડી દેશે અને તેના આદેશોનું ઉલંઘન કરી એ રીતે બહાર નીકળી જશે જેમ તીર પોતાના નિશાન પાસેથી પસાર થઈ જાય છે, તેમનું ઈમાન તેમના ગળાથી નીચે નહિ ઉતરે, જ્યાં પણ તમે તેમનો સામનો કરો, તેમને મારી નાખો; કારણ કે તેમની હત્યા કરનારાઓ માટે આખિરતના દિવસે સવાબ આપવામાં આવશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ખવારિજના કેટલાક ગુણોનું વર્ણન.
  • આ હદીષ નબૂવ્વતની નિશાનીઓ માંથી એક છે, જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની ઉમ્મત વિષે જે પ્રમાણે જણાવ્યું હતું, તેમના પછી તે પ્રમાણે થયું.
  • યુદ્ધમાં તૌરિયહ (કોઈ વસ્તુનો ઇરાદો કરી, તેને એ રીતે જાહેર કરવો કે તેની વાસ્તવિકતાને છુપાવવામાં આવે અને જૂઠથી બચી હેતુ જાહેર કરવામાં ન આવે), અને સંકેતોનો ઉપયોગ કરવો જાઇઝ છે, અને યુદ્ધમાં છેતરપિંડી એ તૌરિયહ દ્વારા છે, એવી જ રીતે યુદ્ધની રણનીતિઓ છુપાઈ શકાય છે, કરાર અને અમાનતનું ઉલંઘન કર્યા વિના; કારણ કે તેના વિરુદ્ધ પતિબંધ વર્ણન કરવામાં આવ્યો છે.
  • ઈમામ નવવી રહિમહુલ્લાહએ (તેઓ લોકો શ્રેષ્ઠ શબ્દોમાં વાતો કરશે) વિષે કહ્યું: તેનો અર્થ: જેવુ કે જાહેરમાં તેઓ કહે છે: અલ્લાહ સિવાય કોઈનો આદેશ (માન્ય) નથી, અને આ જ પ્રકારના શબ્દો જેના દ્વારા તેઓ લોકોને અલ્લાહની કિતાબ તરફ બોલાવશે.
  • ઈમામ ઇબને હજર રહિમહુલ્લાહએ આ શબ્દો (તેમનું ઈમાન તેમના ગળાથી નીચે નહીં ઉતરે), વિષે કહ્યું: તેનો અર્થ એ કે ઈમાન તેમના દિલ સુધી નથી ઉતરે; કારણ કે જે વસ્તુ ગળા સુધી આવીને રોકાઈ જાય, એ દિલ સુધી પહોંચી શકતું નથી.
  • ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમો એ વાત પર એકમત છે કે જો ખવારિજ અને તેમના જેવા બિદઅતી લોકો આગેવાન વિરુદ્ધ બળવો કરે, સમુદાયની સર્વસંમતિનો વિરોધ કરે અને ફૂટ નાખે, તો તેમને સચેત કયા પછી તેમની સાથે લડવું ફરજિયાત થઈ જાય છે, જેથી તેમની પાસે કોઈ બહાનું ન રહે.
explain-icon

કેટેગરીઓ

explain-icon

વધુ