અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશજ્જ અબ્દે કૈસને કહ્યું: «તમારામાં બે ખૂબીઓ એવી છે, જે અલ્લાહ તઆલાને પસંદ છે: સહનશીલતા અને ધૈર્ય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબ્દે કૈસ કબીલાના સરદાર મુન્ઝિર્ બિન્ આઇઝ અશજ્જને કહ્યું: તમારામાં બે આદતો એવી છે, જેને અલ્લાહ પસંદ કરે છે: સમજદારી, વિચાર-વિમર્શ, ગૌરવ અને ઉતાવળ ન કરવી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં ધીરજ અને સહનશીલતા અપનાવવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  • આ હદીષમાં બાબતોની ચકાસણી અને પરિણામોનો વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
  • સહનશીલતા અને ધૈર્ય સારા ગુણો માંથી છે.
  • માનવીએ અલ્લાહના નામની ખૂબ પ્રસંશા કરવી જોઈએ કે તેણે માનવીઓમાં સારા અને નૈતિક ગુણો બનાવ્યા.
  • અલ્ અશજ્જ: તે શક્તિશાળી વ્યક્તિ, જેના ચહેરા, માથા અથવા કપાળ પર ઇજા થઇ હોય.