ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: «જિબ્રઇલ અલૈહીસ્ સલામ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે બેઠા હતા, અચાનક ઉપરથી એક અવાજ સાંભળ્યો, તેઓએ ઉપર નજર કરી અને કહ્યું: આ આકાશનો એક દ્વાર છે, જેને આજે જ ખોલવામાં આવ્યો છે, તેને પહેલા ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો, પછી તે દ્વારથી એક ફરિશ્તો ઉતર્યો, જિબ્રઇલ અલૈહિસ્ સલામએ કહ્યું: આ એક ફરિશ્તો છે, જે પહેલા ક્યારેય ઉતર્યો નથી, તેણે આપને સલામ કર્યું, અને કહ્યું: તમને મુબારક, તમને બે એવા નૂર આપવામાં આવી રહ્યા છે, જે પહેલા કોઈ નબીને આપવામાં આવ્યા નથી: એક સૂરે ફાતિહા અને બીજું સૂરે બકરહની છેલ્લી આયતો, તે બંને માંથી એક આયત પણ પઢશો, તો તેનો સવાબ જરૂર આપવામાં આવશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

જિબ્રઇલ અલયહિ સ્સલામ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે બેઠા હતા, આકાશ માંથી દરવાજા ખોલવાની જેમ અવાજ આવ્યો, જિબ્રઇલ અલયહિ સ્સલામ એ માથું ઉઠાવ્યું અને આકાશ તરફ જોયું, પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને કહ્યું, આજે આકાશમાં એક દ્વાર ખોલવામાં આવ્યો છે, આજ પહેલા આ દ્વાર ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો , તે દ્વારથી એક ફરિશ્તો નીચે ઉતર્યો, જે આ પહેલા નથી ઉતર્યો, તે ફરિશ્તાએ તેમને સલામ કર્યું અને કહ્યું : તમને બે એવા નૂરની ખુશખબર આપવામાં આવી રહી છે, જે આ પહેલા કોઈ નબીને આપવામાં આવી નથી; તે બન્ને નૂર : સૂરે ફાતિહા, અને સૂરે બકરહની છેલ્લી બે આયતો. ફરિશ્તાએ કહ્યું : તે બન્ને માંથી સહેજ પણ પઢશે તો પણ અલ્લાહ તઆલા તેમાં રહેલી ભલાઈ, દુઆ અને ઈચ્છા પૂરી કરશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • સૂરે ફાતિહા અને સૂરે બકરહની છેલ્લી બન્ને આયતોની મહ્ત્વતા, તેને પઢવા અને તેના આદેશો પર અમલ કરવા પર પ્રોત્સાહન
  • આકાશના પણ દ્વાર હોય છે, જેમાંથી અલ્લાહના આદેશો ઉતરતા હોય છે અને અલ્લાહના આદેશ વગર આ દ્વાર કોઈ ખોલી શકતું નથી.
  • આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની પોતાના પાલનહાર સાથે શ્રેષ્ઠતા, એ પ્રમાણે કે આપના પહેલા કોઈ પયગંબરને આ શ્રેષ્ઠતા આપવામાં આવી નથી, આપને આ બન્ને નૂર આપવામાં આવ્યા.
  • અલ્લાહ તરફ બોલાવવા માટેની એક પદ્ધતિ, ભલાઈની ખુશખબર આપવી.