જિબ્રઇલ અલયહિ સ્સલામ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે બેઠા હતા, આકાશ માંથી દરવાજા ખોલવાની જેમ અવાજ આવ્યો, જિબ્રઇલ અલયહિ સ્સલામ એ માથું ઉઠાવ્યું અને આકાશ તરફ જોયું, પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને કહ્યું, આજે આકાશમાં એક દ્વાર ખોલવામાં આવ્યો છે, આજ પહેલા આ દ્વાર ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો , તે દ્વારથી એક ફરિશ્તો નીચે ઉતર્યો, જે આ પહેલા નથી ઉતર્યો, તે ફરિશ્તાએ તેમને સલામ કર્યું અને કહ્યું : તમને બે એવા નૂરની ખુશખબર આપવામાં આવી રહી છે, જે આ પહેલા કોઈ નબીને આપવામાં આવી નથી; તે બન્ને નૂર : સૂરે ફાતિહા, અને સૂરે બકરહની છેલ્લી બે આયતો. ફરિશ્તાએ કહ્યું : તે બન્ને માંથી સહેજ પણ પઢશે તો પણ અલ્લાહ તઆલા તેમાં રહેલી ભલાઈ, દુઆ અને ઈચ્છા પૂરી કરશે.