અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ જોયું કે એક વ્યક્તિ વારંવાર ફક્ત આજ સૂરત પઢતો હતો: {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે}, બસ જ્યારે સવાર પડી તો તે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને આ વિષે જણાવ્યું, અને તે સમજતા હતા કે તેમાં કોઈ મોટો સવાબ નથી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે તેમણે એક વ્યક્તિને સંપૂર્ણ રાત સૂરે ઇખલાસ {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે} પઢતા સાંભળ્યા, કોઈ પણ વધારો કર્યા વિના, તો જ્યારે સવાર પડી તો તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને આ વિષે જણાવ્યું, અને સવાલ કરનાર (અર્થાત્ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ) સમજતા હતા કે તેમાં કોઈ મોટો સવાબ નથી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની પુષ્ટિ માટે કસમ ખાઈને કહ્યું: તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • સૂરે ઇખલાસની મહત્ત્વતાનું વર્ણન અને તે સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે.
  • રાતની નમાઝ (તહ્જજુદ)માં થોડી આયતો પણ પઢી શકાય છે, અને તેને વારંવાર પઢવી જાઈઝ છે, તેને ઓછું કર્યા વિના.
  • ઈમામ માઝિરી રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું: (આ હદીષનો) અર્થ: નિ:શંક કુરઆનના ત્રણ ભાગ છે, કિસ્સાઓ, આદેશો, અને અલ્લાહ તઆલાના ગુણો, અને સૂરે ઇખલાસ {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે} અલ્લાહ ત્આલાના ગુણો વિષે છે, અને તે એક તૃતીયાંશ છે, અને એ પણ કહેવામાં આવ્યું: તેનો અર્થ: તેને પઢવાનો સવાબ કોઈ પણ વધારો કર્યા વિના કુરઆનનો એક તૃતીયાંશ ભાગ બરાબર છે.
explain-icon

વધુ