આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ કુરઆન પઢે અને તેને સચોટ યાદ હોય અને તે પઢવામાં નિષ્ણાંત હોય, તો તે આખિરતમાં સન્માનિત ફરિશ્તાઓ સાથે હશે, જે તેનો બદલો હશે અને જે વ્યક્તિ કુરઆન પઢે છે અને તે અટકી અટકીને પઢે છે, અને તે પોતાની કમજોર યાદશક્તિના કારણે પણ ધીમે ધીમે પઢતો હોય અને આ કાર્યમાં તેને કઠિનાઈનો સામનો કરવો પડતો હોય, તો તેના માટે બમળો સવાબ છે, એક પઢવાનો સવાબ અને બીજો પઢવામાં કઠિનાઈનો સવાબ.