આ હદીષમાં આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કદાપિ એવું હસવામાં અતિશયોક્તિ નહતા કરતા કે તેમનું તાળવુ દેખાવા લાગે, અને તે ગળા ઉપરના ભાગમાં રહેલા માસને કહે છે, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા.
હદીષથી મળતા ફાયદા
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે કોઈ વસ્તુથી રાજી થતાં અથવા ખુશ થતાં તો સ્મિત કરતાં.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: (આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું:) મેં ક્યારે પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખિલખીલાવીને હસતાં નથી જોયા, પરંતુ તેઓ સંપૂર્ણ રીતે સ્મિત કરતાં હતા.
અતિશય અને જોર જોરથી અવાજ કાઢીને હંસવું, તે નેક લોકોના ગુણો માંથી નથી.
અતિશય હાસ્ય માનવીને તેના સાથો દરમિયાન તેની પ્રતિષ્ઠા અને સન્માનને નુકસાન પહોંચાડે છે.