આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કે જો લોકોને જાણ થઈ જાય કે અઝાન અને પહેલી સફનો કેટલો ભવ્ય સવાબ, બરકત અને કૃપા પ્રાપ્ત થશે તો તેઓ તેના માટે અર્થાત અઝાન અને પહેલી સફમાં નમાઝ પઢવા માટે લોકોની ભીડના કારણે ચિઠ્ઠી સિવાય બીજો કોઈ ઉપાય ન જોતા, તો તેઓ ચિઠ્ઠી ઉછાળતા, જેનું નામ નીકળે તે અઝાન આપે અને પહેલી સફમાં ઉભો રહે, જો લોકોને એ પણ જાણ થઈ જાય કે તકબીરે તહરીમાં સાથે નમાઝ પઢવાનો કેટલો સવાબ છે તો તેઓ એકબીજાથી આગળ વધવાનો પ્રયત્ન કરતા અને જો તેમને ઇશા અમે ફજરની નમાઝના મળતા સવાબનો અંદાજો આવી જાય તો શિશુ જાત બાળક જે પ્રમાણે પોતાના થાપા ખસેડી આગળ વધતો હોય છે એ જ પ્રમાણે લોકો પણ તે નમાઝમાં જરૂર હાજર રહેતા.