આ હદીષમાં નબી ﷺ અલ્લાહ પ્રત્યે જાણી જોઈને જૂઠી કસમ ખાઈ એક મુસલમાનના અધિકારમાં ભંગ કરવાથી સચેત કર્યા છે, અને તેને સજા રૂપે જહન્નમમાં દાખલ કરવામાં આવશે, અને તેને જન્નતથી વંચિત કરી દેવામાં આવશે, અને તે મહા પાપો માંથી એક છે. કહેવામાં આવ્યું કે હે અલ્લાહના પયગંબર! સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ: જો તે કોઈ નાની વસ્તુ પર કસમ ખાઈ તો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ભલેને તે એક પીળુંના વૃક્ષની ડાળ પ્રત્યે પણ કેમ ન હોય.