જરીર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ પેશાબ કરી, ફરી વઝૂ કર્યું, અને ફક્ત પોતાના મોજા પર મસહ કર્યો અને પોતાના પગ ન ધોયા, તો તેમના આસપાસના લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું: તમે આમ કર્યું?! તો તેમણે કહ્યું: હા, મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર માસો કર્યો. જરીર રઝી અલ્લાહુ અન્હુ સૂરે માઈદહના ઉતર્યા પછી વિલંભ કરી ઇસ્લામ લાવ્યા, જેમાં વઝૂની આયત છે, જેના દ્વારા જાણવા મળે છે કે આ આયતમાં મોજા પર મસહ કરવો રદ કરવામાં આવ્યો નથી.