આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકો માંથી એક વ્યક્તિ કોઈ પણ મહેનત કરે, જેમ કે તે પોતાનું દોરડું લઈ એક પહાડ પર જતો રહે, અને તે ત્યાં લાકડીઓ ભેગી કરે અને તેને દોરડાથી બાંધી પોતાની પીઠ પર ઉઠાવી લાવે, અને તેને વેચે, તેની કિંમત પોતે પણ ખાય, તેમાંથી સદકો પણ કરે, તેમજ લોકો પાસેથી માંગવાથી બેનિયાજ રહ્યો, તે પોતે અપમાનિત થવાથી બચીને રહ્યો, આ મહેનત અને પ્રક્રિયા બહેતર છે, તેના કરતાં કે તે કોઈની પાસે માંગે, જેઓ ક્યારેક ઈચ્છા હોય તો આપે અને ઈચ્છા ન હોય તો ન આપે, માટે લોકો પાસે માંગવું અપમાનિત થવાનું કારણ છે અને મોમિન માનનીય છે, અપમાનિત નહીં.