આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને ખુશખબર આપી છે, જે સવાર સાંજ ઈબાદતના અથવા ઇલ્મ પ્રાપ્ત કરવા તેમજ કોઈ પણ ભલાઈના હેતુથી મસ્જિદમાં ગમે તે સમયે આવે, સવાર હોય કે સાંજ હોય, અલ્લાહ તઆલાએ તેના માટે જન્નતમાં જગ્યા અને તેની મહેમાન નવાજી તૈયાર કરી રાખી છે, દિવસ દરમિયાન અથવા રાત દરમિયાન જ્યારે જ્યારે તે મસ્જિદમાં આવશે.