ઇમાનવાળાઓના આગેવાન ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ હજરે અસ્વદ પાસે આવ્યા, જે ખાનએ કઅબ સાથે જોડાયેલો છે, તેને બોસો આપ્યો, બોસો આપી લીધા પછી કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.