આ હદીષમા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ કબૂલ કરવામાં આવે છે; કારણકે તેમાં અત્યંત નિખાલસતા હોય છે, તેની પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે, જ્યારે પણ દુઆ કરનાર પોતાના ભાઈ માટે દુઆ કરે છે, તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: આમીન અને તમારા માટે પણ તે જે તમે દુઆ કરી.