અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે સૌ પ્રથમ નાહક કતલ વિશે પૂછવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું કે કયામતના દિવસે સૌ પ્રથમ લોકો વચ્ચે એકબીજા પર કરેલ અત્યાચારનો નિર્ણય કરવામાં કરશે, જેવું કે નાહક કતલ, અને કિસાસ લેતી વખતે જુલમ.
હદીષથી મળતા ફાયદા
લોહીની ભૂમિકા અગત્યની હોય છે, એટલા માટે આ ભવ્ય દિવસે સૌ પ્રથમ તેનાથી જ શરૂઆત કરવામાં આવશે.
ગુનાહોની ભયનકતા તેના નુકસાન પ્રમાણે હોય છે, નિર્દોષની જાન લેવી તે સૌથી મોટો ગુનોહ છે અને અલ્લાહ સાથે કુફ્ર કરવું અને શિર્ક કરવું તેનાથી મોટો કોઈ ગુનોહ નથી.