આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મિશનની શરૂઆતના સમયની એક વાત વર્ણન કરી, જ્યારે ટૂંક સમય માટે વહી રોકાઈ ગઈ હતી: હું મક્કાની ગલીઓમાં ચાલી રહ્યો હતો, અચાનક મેં આકાશમાંથી એક અવાજ સાંભળ્યો, મેં ઉપર નજર કરી જોયું તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ તે જ ફરિશ્તા હતા, જે હીરા ગુફામાં મારી પાસે આવ્યા હતા, આકાશ અને જમીન વચ્ચે એક કુર્સી પર બેઠા હતા, હું ભયભીત થઇ ગયો અને તેમનાથી ડરી ગયો, જેથી હું મારા ઘરવાળા પાસે પાછો આવ્યો અને કહ્યું: મને ચાદર ઓઢાવી દો. તો ઉચ્ચ અલ્લાહએ આ આયત ઉતારી: {હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો} કપડા ઓઢેલા, {ઉભા થાઓ} આમંત્રણ માટે, {ભયભીત કરો} અને તે લોકોને સચેત કરો જે તમારા પયગંબર હોવા પર ઈમાન ન લાવે. {અને તમારો પાલનહાર} અને તમારો ઇલાહ પાલનહાર {તેની મહાનતા વર્ણન કરો} તેના વખાણ અને મહાનતા વખાણ કરો. {અને તમારા કપડા} અને વસ્ત્રો {અને તેને શુદ્ધ કરો} તેને અશુદ્ધતાથી સાફ કરો {અને ગંદકીથી દૂર રહો} અર્થાત્ મૂર્તિ અને ખોટા દેવીદેવતાઓની પૂજાથી {અને તેનાથી સંપૂર્ણપણે દૂર રહો} તેને છોડી દો, ત્યાર પછી વહી મજબૂત અને સતત આવતી થઇ ગઈ.