અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જો તેમને પોતાની ઉમ્મત માંથી મોમિનો પર સખતીનો ભય ન હોત, તો તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પોતાની ઉમ્મત સાથે નરમી ભર્યો વ્યવહાર, અને પોતાની ઉમ્મતને મુશ્કેલમાં પાડવાનો ભય.
  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશમાં વાસ્તવિકતા એ છે કે તે વાજિબ (અનિવાર્ય) છે, જ્યાં સુધી તેને નફિલ હોવાની દલીલ ન મળી આવે.
  • મિસ્વાક (દાતણ) કરવું મુસ્તહબ છે, અને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાની મહત્ત્વતા.
  • ઈમામ ઈબ્ને દકીક અલ્ ઈદે કહ્યું: દરેક નમાઝના સમયે મિસ્વાક કરવાનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો કે તે સમયે તે અલ્લાહની નજીક હોય છે, અને બીજો હેતુ એ પણ છે કે ઈબાદતની મહાનતા માટે કે તે એ સ્થિતિમાં સંપૂર્ણ પાક રહે.
  • આ હદીષનો સામાન્ય અર્થ એ છે કે રોઝેદાર માટે ઝવાલ (સૂર્યના ઢળવા) પછી પણ મિસ્વાક (દાતણ) કરવું જાઈઝ છે, જેમકે ઝોહર અને અસરની નમાઝ.