સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉમ્મુલ્ મુઅમિનીન જુવૈરિયહ રઝી અલ્લાહુ અન્હા પાસેથી બહાર નીકળ્યા, તેઓ નમાઝ પઢવાની જગ્યાએ બેઠા હતા, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચાશતના સમયે પાછા આવ્યા, તેઓ તે જ જગ્યાએ બેઠા હતા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે સ્થિતિમાં હું તમને છોડીને ગયો હતો, હજુ પણ તમે ત્યાં જ બેઠા છો? તેમણે કહ્યું: હા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમને છોડીને ગયા પછી મેં ચાર કલિમા ત્રણ વખત પઢયા છે, જો તમે આ શબ્દોનો સવાબ જાણી લેતા, તો તમે જે અત્યાર સુધી બેસી જે ઝિક્ર કરી રહ્યા છો તેના પર આ ચાર કલીમાને પઢવામાં પ્રાથમિકતા આપતા: ("સુબ્હાનલ્લાહિ" અલ્લાહ પવિત્ર છે), અલ્લાહ તઆલા દરેક ખામીથી પાક છે, ("વ બિહમદિહિ" દરેક પ્રકારની પ્રસંશા તેના માટે જ છે), તેણે માર્ગદર્શન આપેલ સંપૂર્ણ સુંદર વખાણ તેના માટે જ છે ("અદદ ખલ્કિહિ" તેના સર્જનની ગણતરી બરાબર), જેને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, ("વ રિઝા નફ્સિહિ" તેની પ્રસન્નતા જેટલી), તે ખુશ થાય એટલી તસ્બીહ વર્ણન કરીએ છીએ, તે પોતાના બંદાઓથી એટલો ખુશ થાય છે, જેની અંદાજો નથી કરી શકતા, ("વ ઝિનત અર્શિહિ" અર્શના વજન બરાબર) જે દરેક સર્જન કરતા મહાન અને ભારે છે, (વ મિદાદ કલિમાતિહિ" તેના કલિમાની સિયાહી બરાબર), તેના શબ્દો અગણિત છે, તેને ગણી નથી શકતા, જેમાં ત્રણેય વિષયનો સમાવેશ થાય છે, જેવું કે તેના કલીમાની સિયાહી, તે બુલંદ છે, પોતાની વિશાળતા, સ્પષ્ટતા અને સંખ્યામાં અગણિત છે, અહીંયા વધારો જણાવવા પર જોર આપવામાં આવ્યું છે, પહેલા નંબર પર તેણે અગણિત સર્જનનું વર્ણન કર્યું, ત્યારબાદ તેના કરતાં પણ અગણિત અલ્લાહના કલિમાનું વર્ણન કર્યું અને ત્યારબાદ સર્જન માંથી સૌથી મહાન અને ભારે અર્શનું વર્ણન કર્યું, પ્રથમ, એક માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે - તેના સર્જનની સંખ્યા પછી, તે "પોતાના આનંદ" તરીકે વ્યક્ત કરતાં વધુ કંઈક તરફ આગળ વધે છે. આગળ સૌથી મહાન અને જે વજનમાં સૌથી ભારે છે, અર્શનું વર્ણન. પ્રથમ સંખ્યા અને જથ્થા સાથે, બીજુ વર્ણન અને ગુણવત્તા સાથે અને ત્રીજો મહાનતા અને વજન સાથે સંબંધિત છે.