ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડ્યો જે બાઝુઓનો ઉપરનો ભાગ છે- અને કહ્યું: દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો જાણે કે તમે એક અજાણ વ્યક્તિ છો, જે એક શહેરથી બીજા શહેર ફરતો રહે છે, જેનું કોઈ ઠેકાણું નથી હોતું અને તેની મહેમાન નવાજી માટે કોઈ બંદોબસ્ત નથી, તેના ઘરવાળાઓ, બચ્ચાઓ અને ખાનદાન પણ ન હોય, જેમના કારણે તે પોતાના પાલનહારથી દૂર થઈ જાય છે, પરંતુ અજાણ કરતા પણ વધુ એ કે તે રાહદાર વ્યક્તિ હોય, જે પોતાના વતન માટે ચાલી રહ્યો હોય, કારણકે એક અજાણ તો અન્ય વતનમાં પણ રોકાઈ શકે છે, ત્યાં રહી શકે છે, તે મુસાફર વિરુદ્ધ જે પોતાના વતન માટે ચાલતો હોય, તે રુકશે નહીં, અને પોતાના વતન પહોંચવા માટે ઉત્સુક રહેશે, જે રીતે એક મુસાફર પોતાની મંજિલ કરતા વધુ કઈ નથી ઇચ્છતો એવી જ રીતે એક મુમિન તેના મૂળ ઠેકાણા કરતા વધુ કંઈ નથી ઇચ્છતો. ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા આ નસીહત પણ અમલ કરતા કહેતા હતા: જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ અને સાંજ કરો તો સવારની રાહ ન જુઓ, અને તમે પોતાને કબરના લોકોમાં ગણતરી કરો, કારણકે જીવન તંદુરસ્તી અને બીમારીથી ખાલી નથી; એટલા માટે તંદુરસ્તીના દિવસોમાં બીમારીનો સ્વીકાર કરી અમલ કરવામાં ઉતાવળ કરો, તંદુરસ્તીના દિવસોના અમલને ગનીમત સમજો એ પહેલાં કે તમારી અને તેની વચ્ચે બીમારી આવી જાય, દુનિયાના જીવનને ગનીમત સમજો અને તે એકઠું કરી લો જે મૃત્યુ પછી તમારા માટે ફાયદાકારક હોય.