આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ એવો ગુનોહ કરે, જેના પર શરીઅતે કોઈ સજા નક્કી કરી હોય, જેમકે વ્યભિચાર અને ચોરીની સજા, અને તેને દુનિયામાં જ સજા આપવામાં આવે, અને હદ લાગું કરવામાં આવે, તો તે સજા તે ગુનાહને ખત્મ કરી દે છે, અને આખિરતમાં તેની સજા ખત્મ થઈ જાય છે; કારણકે અલ્લાહ ખૂબ જ કૃપાળુ અને દયાળુ છે કે પોતાના બંદાને એક જ ગુનાહની સજા બે વાર ન આપે, અને જો વ્યક્તિ ગુનાહ કરે અને અલ્લાહ તઆલા તેના ગુનાહને છુપાવી લે, અને તેને દુનિયામાં સજા આપવામાં ન આવે, અને માફ કરી દરગુજર કરવામાં આવે, તો અલ્લાહ તઆલા એટલો કૃપાળુ અને ઉદાર છે કે જે ગુનાહને તેણે માફ કરી દીધી છે તેને પણ માફ કરી દે.