પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહએ કહ્યું: ત્રણ પ્રકારના લોકો એવા હશે જેમની સાથે હું કયામતના દિવસે ઝઘડો કરીશ, અને હું તેમને હરાવીશ: પહેલો: જે વ્યક્તિ અલ્લાહની કસમ ખાઈ અને વચન લે અને તેને તોડી નાખે અને ખિયાનત કરે. બીજો: જે વ્યક્તિ કોઈ સ્વતંત્ર વ્યક્તિને ગુલામ બનાવી વેચી દે, ફરી તેની કિંમત ખાઈ લે અને તેની કિંમતમાં ફેરફાર કરે. ત્રીજો: જે કોઈ વ્યક્તિને કોઈ કામ માટે મજૂરી પર રાખે, અને તેની પાસેથી સંપૂર્ણ કામ લે અને તેને મજૂરી ન આપે.