આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક સફરમાં જોયું કે લોકો એક વ્યક્તિ પાસે ભેગા થઈ તેના માટે છાયડો કરી રહ્યા છે, સખત તાપ અને તરસના કારણે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: તેને શું થયું છે? લોકોએ કહ્યું: આ વ્યક્તિ રોજદાર છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કાર્ય નથી, અલ્લાહએ આપેલ છૂટ અપનાવવી જોઈએ.