આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે તે પોતાના મુસલમાન ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત, તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! પીડિત વ્યક્તિની મદદ હું કરું કે તેને અત્યાચારથી બચાવવો, પરંતુ જાલિમ વ્યક્તિની મદદ કંઈ રીતે કરી શકાય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેને અત્યાચાર કરવાથી રોકવો, તે જ તેની મદદ ગણાશે, કારણકે તમે તેને શૈતાન અને નફસે અમ્મારહ, જે બુરાઈનો આદેશ આપે છે, તેનાથી રોક્યો.