અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: «તમે પોતાના ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત», એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! પીડિત વ્યક્તિની હું મદદ કરું, પરંતુ જાલિમ હોય, તો તેની મદદ કંઈ રીતે મદદ કરવી? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને અત્યાચાર કરવાથી ચેતવણી આપશો અથવા તેને રોકશો; તે જ તેની મદદ છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે તે પોતાના મુસલમાન ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત, તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! પીડિત વ્યક્તિની મદદ હું કરું કે તેને અત્યાચારથી બચાવવો, પરંતુ જાલિમ વ્યક્તિની મદદ કંઈ રીતે કરી શકાય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેને અત્યાચાર કરવાથી રોકવો, તે જ તેની મદદ ગણાશે, કારણકે તમે તેને શૈતાન અને નફસે અમ્મારહ, જે બુરાઈનો આદેશ આપે છે, તેનાથી રોક્યો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • એક મુસલમાનના બીજા મુસલમાન પ્રત્યે ઇમાની ભાઈચારાના અધિકારો માંથી એક અધિકાર તરફ ધ્યાન દોર્યું.
  • જુલમ કરનારનો હાથ પકડીને તેને જુલમ કરતા રોકવો.
  • ઇસ્લામ અજ્ઞાનતાના સમયના ખ્યાલોનો વિરોધાભાસ કરે છે, કારણ કે તેઓ એકબીજાને ટેકો આપતા હતા, ભલે તેઓ પીડિત હોય કે અત્યાચારી.