આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિની એકથી વધુ પત્નીઓ હોય અને તે બંને દરમ્યાન જરૂરી ન્યાય ન કરતો હોય, જેમકે બંને દરમિયાન ખર્ચ કરવામાં, રહેવામાં, કપડાં પહેરાવવામાં, અને રાત પસાર કરવામાં, તો કયામતના દિવસે તેની સજા તે હશે કે તેના શરીરનો એક ભાગ ઝૂકેલો હશે, અને તે ઝૂકવું તેના અન્યાયના બદલામાં હશે, જેમકે તે પણ પોતાની બાબતમાં એક તરફ ઝૂકી ગયો હતો.