અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ મજલિસમાં આવે તો સલામ કરે અને જ્યારે નીકળે તો પણ સલામ કરે, કારણકે પહેલો (મોકો) છેલ્લા કરતાં વધુ અધિકાર ધરાવતો નથી». હસન - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

જે વ્યક્તિ લોકોની મજલિસમાં આવે તેને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સલામ કરવાનું માર્ગદર્શન આપ્યું છે, અને જો તે ઊભો થઈ જવા ઈચ્છે તો સલામ કરી વિદાઇ લે; કારણકે આવવા પર પહેલું સલામ પ્રસ્થાન વખતે બીજા સલામ કરતાં વધુ અધિકાર ધરાવતું નથી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • સલામ ફેલાવવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
  • મજલિસમાં પ્રવેશ અને પ્રસ્થાન બંને સમયે સલામ કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
  • ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જ્યારે ઊભા થવાનો ઇરાદો કરે) અર્થાત્ મજલિસ માંથી, અને કહ્યું: (પહેલો મોકો વધુ હકદાર નથી) અર્થાત્: આ બંને એક યોગ્ય સુન્નતો છે, પહેલી કરી બીજી છોડવી યોગ્ય નથી.
explain-icon

વધુ