આ હદીષમાં નબી ﷺએ રમઝાન મહિનાના એક દિવસ અથવા બે દિવસ પહેલા સાવચેતીરૂપે રોઝા રાખવાથી રોક્યા છે; કારણકે રમઝાનનો ચાંદ જોયા પછી રમઝાનના રોઝા ફર્ઝ થાય છે, માટે સાહસ કરવાની જરૂર નથી, હા, જે વ્યક્તિ નફીલ રોઝા રાખતો હોય જેવું કે કોઈની આદત હોય એક દિવસ રોઝો રાખવો અને એક દિવસ ન રાખવો, તેમજ સોમવાર અને ગુરુવારના દિવસના રોઝા તો તેની છૂટ છે, તેનો રમઝાનના ઇસ્તિકબાલ પર કોઈ સબંધ નથી, તેને લગતા વાજિબ રોઝા પણ હોઈ શકે છે, જેવું છૂટી ગયેલા રોઝા અને નઝરના રોઝા.