અલી બિન્ અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુએ ઇસ્લામથી ફરી જનાર ઝનાદિકહ નામની એક કોમને આગમાં બાળી નાખ્યા, આ વાત અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા સુધી પહોંચી, ત્યારે તેમણે તેમની હત્યા કરવાને સમર્થન આપ્યું, પરંતુ તેમણે તેમને આગમાં બાળી નાખવાનો ઇન્કાર કર્યો. તેમણે કહ્યું: જો હું તેમની જગ્યાએ હોત, તો હું તેમને આગથી બાળી ન નાખત, કારણ કે પયગંબરએ જણાવ્યું છે કે અગ્નિના પાલનહાર અલ્લાહ સિવાય કોઈ અગ્નિ દ્વારા સજા આપી શકતો નથી, પરંતુ તેમને મારવા (હત્યા કરવા) માટે જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું તે તરીકો પુરતો છે: જો કોઈ ઇસ્લામ છોડી દે અને પોતાનો ધર્મ બદલીને બીજા ધર્મમાં બદલી નાખે, તો તેને મારી નાખો.