એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર ઉપર ખુતબો આપી રહ્યા હતા: હે અલ્લાહના પયગંબર! રાત્રે કંઈ રીતે નમાઝ પઢવી મને શીખવાડો? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: બે બે રકઅત પઢી સલામ ફેરવી દો, અને જ્યારે ફજર થવાનો ભય હોય, તો તમારી નમાઝને એકી સંખ્યામાં કરી દો, અર્થાત્ વિત્તર પઢી લો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ છેલ્લી નમાઝ વિત્તરને કરવાની વસિયત કરી છે.