ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે». قال النووي: حديث حسن - رواه ابن ماجه والبيهقي وغيرهما
explain-icon

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે નીચે વર્ણવેલ ત્રણ સ્થિતિમાં અલ્લાહ તમારી ઉમ્મત પરથી ગુનાહ માફ કરી દીધા છે: પહેલી: ભૂલથી થવાવાળા ગુનાહ, અર્થાત્ એવા ગુનાહ જે ઇરાદાપૂર્વક કરવામાં ન આવ્યા હોય, ઉદાહરણ તરીકે એક મુસલમાન કંઈ કામ કરવાનો ઈરાદો કરે અને તેનાથી બીજું જ કંઈક થઈ જાય. બીજી સ્થિતિ: ભૂલચુકથી થઈ જનાર ગુનાહ અર્થાત્ કોઈ મુસલમાન કંઈક વાત યાદ તો હોય પરંતુ કરતા સમયે ભૂલી જાય, આવું થવા પર કોઈ ગુનોહ નથી. ત્રીજી સ્થિતિ: જબરજસ્તી કરવામાં આવતા ગુનાહ: ક્યારેક એવું થાય છે, માનવીને કોઈ એવું કામ કરવા પર મજબુર કરવામાં આવે, જેને તે કરવા ઇચ્છતો ન હોય, અને તેની પાસે માહોલનો મુકાબલો કરવાની પણ ક્ષમતા નથી હોતી, આવી પરિસ્થિતિમાં પણ તેના પર કોઈ ગુનોહ નથી. અહીંયા યાદ રાખજો કે આ હદીષનો સબંધ એવા ગુનાહથી છે, જે અલ્લાહ અને તેના બંદા વચ્ચે હોય, કોઈ અનિવાર્ય કાર્યને ભૂલી જવાથી તે કાર્યની ભરપાઈ થતી નથી, એવી જ રીતે કોઈ ભૂલથી કામ કરવા પર જો કોઈ સર્જનને નુકસાન પહોંચે, તો તેની ભરપાઈ કરવી પડશે, ઉદાહરણ તરીકે ભૂલથી કોઈનું કતલ થઈ જવું, તો તેની ભરપાઈ કરવી પડશે, એવી જ રીતે કોઈની ગાડીનું નુકસાન કરી દીધું, તો તેનો પણ દંડ આપવો પડશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • બંદા પર -સર્વશ્રેષ્ઠ- અલ્લાહની અત્યંત કરુણા કે તે આ પ્રમાણેના ગુનાહની પકડ કરતો નથી.
  • મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઉમ્મત પર અલ્લાહની કૃપા અને તેની દયા.
  • ગુનાહ ન થવાનો અર્થ એ નથી કરી આદેશ લાગુ નહિ પડે, અને દંડ ભરવો નહીં પડે ઉદાહરણ તરીકે કોઈ વઝૂ કરવાનું ભૂલી ગઈ અને તે એ સમજે કે મેં વઝૂ કરેલું જ છે, નમાઝ પઢી લે તો તેને ગુનોહ તો નહીં થાય, પરંતુ વઝૂ કરી નમાઝ ફરીવાર પઢવી પડશે.
  • બળજબરીથી કરાવવામાં આવેલ ગુનાહ (પાપ) માટે અમુક શરતો હોવી જોઈએ, ઉદાહરણ તરીકે બળજબરી કરનાર તે કામ કરવા પર કુદરત ધરાવતો હોય, જેની ધમકી તે આપી રહ્યો છે.