અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયાત ઉતરી: {નિ:શંક (હે પયગંબર)! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી. (૧) જેથી અલ્લાહ તમારી આગળ-પાછળને દરેક ભૂલચૂક માફ કરી દે અને તમારા પર પોતાની કૃપા પૂરી કરી દે, અને તમને સત્ય માર્ગ પર ચલાવે.(૨) અને તમને એક પ્રભાવશાળી સહાયતા આપે. (૩) તે જ છે, જેણે મુસલમાનોના હૃદયોમાં શાંતિ આપી દીધી, જેથી પોતાના ઇમાન દ્વારા વધુ શાંતિમાં વધારો કરે, અને આકાશો અને ધરતીના (દરેક) લશ્કર અલ્લાહના જ છે અને અલ્લાહ તઆલા ખુબ જ જાણવાવાળો, હિકમતવાળો છે. (૪) જેથી ઇમાનવાળા પુરૂષો અને સ્ત્રીઓને તે જન્નતોમાં પ્રવેશ આપે જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે અને બુરાઈને તેમનાથી દૂર કરી દે અને અલ્લાહની નજીક આ ખુબ જ ભવ્ય સફળતા છે} [અલ્ ફત્હ: ૧-૫], તે સમય હુદૈબિયહથી પાછા ફરવાનો સમય હતો, અને સહાબા પર ભય અને ચિંતા છવાઈ ગઈ હતી, કારણકે તેમને કરાર અનુસાર ઉમરહ કરવાથી રોકી દેવામાં આવ્યા હતા, અને તેમને પોતાના કુરબાનીના જાનવર હુદૈબિયહમાં ઝબેહ કરી દીધા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર મારા પર એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સમગ્ર દુનિયાની વસ્તુ કરતાં પણ વધુ પ્રિય છે.