ઈબ્ને અબૂ મુલૈકહ રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર પત્નીઓ માંથી કોઈ એક, -અબૂ આમિરે કહ્યું: નાફીએ કહ્યું: મારું અનુમાન છે કે હફસા રઝી અલ્લાહુ અન્હા- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરાઅત (કુરઆનની તિલાવત) વિશે પૂછવામાં આવ્યું તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, કહ્યું: તો પણ તમે જણાવો, તો અબૂ આમિરની સામે આ તિલાવત કરી જે અબૂ મુલૈકહએ સૂરે ફાતિહામાં અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ (રુકિ જવું) કર્યું, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન હફસા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કરવામાં આવ્યો: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆનની તિલાવત કઈ રીતે કરતા હતા? તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, તો તેમને કહેવામાં આવ્યું: અમને જણાવો તો ખરા. નાફિએ કહ્યું: ઈબ્ને અબૂ મુલૈકહએ ધીમે ધીમે તિલાવત કરીને બતાવ્યું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જેમ તિલાવત કરવાનો પ્રયત્ન કર્યો, અને પઢયું: અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ કર્યો, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩], પછી રુકી ગયા, {માલિકિ યવ્મિદ્ દીન}.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુરઆન પઢવાના તરીકાનું વર્ણન.
  • આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુરઆન પઢવા પ્રમાણે કુરઆન પઢવાનો અમલી નમૂનો.
  • કુરઆન ધીમે ધીમે પઢવું જોઈએ, તેનાથી કુરઆનની આયતોમાં ચિંતન કરવું વધુ અનુકૂળ રહેશે.
  • પવિત્ર કુરઆન મજીદ અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રમાણે અમલ કરવા બાબતે પાછળના સદાચારી લોકોની રુચિ.
  • કુરઆન મજીદ શીખવા માટે તજવીદ શીખવાની મહત્ત્વતા.