નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહ સાથે ભાગીદાર બનાવનારા લોકો વિરુદ્ધ દુઆ કરવાનું કહેવામાં આવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને અલ્લાહ દ્વારા શાપ આપનારો બનાવી મોકલવામાં આવ્યો નથી, અર્થાત્ લોકોને તેની દયાથી દૂર રાખવા અને લોકોને ભલાઈથી દૂર રાખવા, મને તેના માટે મોકલવામાં આવ્યો નથી, પરંતુ મને લોકો માટે ખાસ કરીને મોમિનો માટે ભલાઈ અને દયાનો સ્ત્રોત બનાવી મોકલવામાં આવ્યો છે.