અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કેટલાય લોકો એવા છે, જેમના વાળ વિખરાયેલા હોય છે, વાળમાં ધૂળ ચોંટેલી હોય છે, જેઓ ન તો તેલ લગાવે છે, ન તો તેને ધોવે છે, લોકો પાસે તેમનું કઈ પણ સ્થાન નથી હોતું અને તેમને દરવાજા પાસેથી જ ધૃતકારી દેવામાં આવે છે, અને તેમની તિરસ્કારી નકારવામાં આવે છે; પરંતુ જો તેઓ કોઈ વાત બાબતે સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમના સન્માનમાં તેને પૂરી કરે છે, અને તે નિશ્ચિત પૂરી કરશે કે તેમની વિનંતી મંજૂર કરવામાં આવી છે, આ અલ્લાહની કૃપા અને તેની પાસે તેમના સન્માનના કારણે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • અલ્લાહ માનવીઓના જાહેર ચહેરાઓને નથી જોતો, પરંતુ તે તેમના દિલ અને કાર્યોને જુએ છે.
  • માનવીએ પોતાના શરીર અને વસ્ત્રો કરતાં પોતાના કાર્યો અને દિલની ચોખ્ખાઈ પર ધ્યાન આપવું જોઈએ.
  • અલ્લાહ સામે આજીજી અને વિનમ્રતા અપનાવવી તે દુઆ કબૂલ થવાનો એક સ્ત્રોત છે, તેથી અલ્લાહ પોતાના છૂપાયેલા સદાચારી બંદાઓની સોગંદને પૂરી કરે છે.
  • લોકો માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શિક્ષાઓની સ્પષ્ટતા; જેથી કોઈ પણ વ્યક્તિ અન્યને તુચ્છ ન સમજે.