અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે». قال النووي: حديث حسن - رواه الترمذي وغيره
explain-icon

સમજુતી

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: એક મુસલમાનના ઇસ્લામની અગત્યની ખૂબી અને સંપૂર્ણ મોમિન હોવાની નિશાની એ છે કે તે એવી વાતો અને કામોથી દૂર રહે, જે તેના માટે યોગ્ય ન હોય, અર્થાત્ તેના માટે ફાયદાકારક ન હોય, તેને રસ નથી, અને શબ્દો અને કાર્યોમાં તેને ફાયદો ન હોય, અથવા એવી બાબતો જે ધાર્મિક કે દુન્યવી બાબતોમાં ફાયદો ન પહોંચાડે, એવી બાબતોમાં વ્યસ્ત રહેવાથી જે વ્યક્તિ માટે નથી, તે તેને ચિંતા કરતી બાબતોથી વિચલિત કરી શકે છે, અથવા તેને એવી બાબતો તરફ દોરી જેનાથી તેણે બચવું જોઈએ, કયામતના દિવસે માનવીના દરેક કાર્યોનો હિસાબ લેવામાં આવશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ઇસ્લામની બાબતોમાં લોકો અલગ અલગ હોય છે, અને કેટલાક અમલોના કારણે ઇસ્લામની સુંદરતા વધતી હોય છે.
  • વ્યર્થ અને બેકાર વાતોથી દૂર રહેવું ઇસ્લામના સંપૂર્ણ મુસલમાન હોવાની દલીલ છે.
  • લોકોને તેમના ધાર્મિક અને દુન્યવી બાબતોમાં વ્યસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જે તેના માટે યોગ્ય હોય; કારણકે જયારે બિન જરૂરી કામોમાં વ્યસ્ત રહેવું એક સારા મુસલમાન હોવાની નિશાની નથી, તો તેનો અર્થ એ છે કે એક સારા મુસલમાને યોગ્ય કાર્યોમાં વ્યસ્ત રહેવું જોઈએ.
  • ઇમામ ઈબ્ને કૈય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહના પગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ હદીષમાં: «માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે», કહી વરઅ (તકવા) ના દરેક પ્રકારોને ભેગી કરી દીધા; કારણકે તેમાં વાતચીત કરવી, જોવું, સાંભળવું, પકડવું, ચાલવું, અને વિચારવું વગેરે દરેક જાહેર અથવા આંતરિક વાતોનો સમાવેશ થાય છે, જે ફાયદાકારક ન હોય, વરઅ બાબતે આ એક શંતોષકારક વાક્ય છે.
  • ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ અદબના સિદ્ધાંતોનું એક મળ્યું છે.
  • આ હદીષ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા પર પ્રોત્સાહન મળે છે; કારણકે જ્ઞાનના કારણે જ માનવી જાણી શકે છે કે કયું કામ તેના માટે ફાયદાકારક છે અને કયું કામ તેના માટે ફાયદાકારક નથી.
  • ભલાઈનો આદેશ આપવો, બુરાઈથી રોકવું, અને સહાનુભૂતિ દાખવી માનવીના ફાયદાકારક કાર્યો માંથી છે; કારણકે આ કાર્યોનો આદેશ આપવામાં આવ્યો છે.
  • આ હદીષનો સામાન્ય અર્થ જોવા જઈએ તો માનવીએ તે દરેક કામોથી દૂર રહેવું જોઈએ, જેને અલ્લાહએ હરામ કર્યા છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નાપસંદ કર્યા છે, એવી જ રીતે ગેબની વાતો અને બાળકની સંપૂર્ણ હિકમત જેમા આખિરતની વાતો પણ શામેલ છે, જેને એક મુસલમાનને જરૂર નથી, તેમાં એવા અનિવાર્ય કાર્યોનો પણ સમાવેશ થાય છે, જે થઈ ન હોય, અથવા જેને થવાની કોઈ આશા ન હોય, અથવા તેનું થવું અશક્ય હોય.