નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દિવસના ત્રણ સમયોમાં નફિલ નમાઝ પઢવાથી અને કબરમાં મૃતકોને દફન કરવાથી રોક્યા છે: પહેલો સમય: જ્યારે સુર્ય ઊગવા લાગે, આ ત્યારે થાય છે જ્યારે સુર્ય પહેલી વખત એક ભાલા બરાબર ઉપર આવે છે, અને તેનો સમય અંદાજિત રીતે પંદર મિનિટ જેટલો હોય છે. બીજો સમય: જ્યારે સુર્ય મધ્ય આકાશમાં હોય, અને તેનો પડછાયો પૂર્વ અથવા પશ્ચિમ તરફ ન હોય, અને જ્યાં સુધી તે મધ્ય આકાશ માંથી પશ્ચિમ તરફ ઢળવાનું શરૂ ન કરે, અને જ્યારે તેનો પડછાયો પૂર્વ તરફ દેખાવા ન લાગે ત્યારબાદ ઝુહરની નમાઝનો સમય શરૂ થાય છે, અને તે થોડોક જ સમય હોય છે, અંદાજિત રીતે તે પાંચ મિનિટનો સમય હોય છે. ત્રીજો સમય: જ્યારે સુર્ય ઢળવા લાગે, અહીં સુધી કે તે સંપૂર્ણ રીતે ડૂબી જાય.