આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ખરેખર આદમની દરેક સંતાનના દિલ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, જેમકે તે એક જ હોય, તે જેમ ઈચ્છે છે તેને ફેરવે છે, જો તે ઈચ્છે તો તેને સત્ય પર અડગ કરી દે અને જો તે ઈચ્છે તો તેને સત્યથી દૂર કરી દે, બસ તે દરેક દિલોને એવી રીતે ફેરવે છે કે તે ફક્ત એક જ હોય, અને તેનાથી પવિત્ર અલ્લાહને કોઈ પણ વ્યસ્તતા લાગું પડતી નથી, ફરી નબી ﷺએ દુઆ કરી અને કહ્યું: હે દિલોને ઉલતફેર કરનાર! ક્યારેક અનુસરણ તરફ ફેરવાવાળા તો ક્યારેક અવજ્ઞા તરફ ફેરવનાર, ક્યારેક ઝિક્ર તરફ ફેરવનાર તો ક્યારેક આળસ તરફ ફેરવાવાળા, અમારા દિલોને તારા અનુસરણ તરફ ફેરવી દે.