અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા કરતા નીચલા વર્ગના લોકો તરફ જુવો, તમારા કરતા ઉંચા વર્ગના લોકો તરફ ન જુઓ, આમ કરવાથી શક્ય છે કે તમે અલ્લાહની નેઅમતોને તુચ્છ નહીં સમજો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો છે કે દુનિયાની દરેક બાબતમાં જેવી કે સ્થાન, માલ અને ઇઝ્ઝતમાં પોતાનાથી નીચલા વર્ગ લોકો તરફ નજર કરો, જેમની પાસે તમારા કરતા ઓછું હોય, અને દુનિયાની દરેક બાબતમાં પોતાના ઉપરના વર્ગ તરફ ન જોવું જોઈએ, જેઓ તમારા કરતા પ્રાથમિકતા ધરાવે છે, જો તમે પોતાના કરતા નીચલા વર્ગ તરફ નજર કરશો, તો શક્ય છે કે તમે અલ્લાહ તઆલાની નેઅમતોને તુચ્છ અને નાની નહીં સમજો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • કનાઅત (સંતુષ્ટિ) મોમિનોના ભવ્ય અખ્લાક માંથી એક છે અને તે અલ્લાહની તકદીર પ્રત્યે રાજી હોવાની નિશાની છે.
  • ઈબ્ને જરીર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં સંપૂર્ણ ભલાઈનો સમાવેશ થાય છે; કારણકે જો માનવી પોતાના કરતા ઊંચા વર્ગ અને જેના પર અલ્લાહએ કૃપા કરેલી છે, તેની તરફ જોશે તો તે પણ તેની માફક જ થવાની ઈચ્છા કરશે જેના કારણ તેને અલ્લાહએ આપેલ નેઅમતોને તે તુચ્છ જાણશે અને તે વધુની પ્રાપ્તિ અને તેની નજીક આવવાની ઈચ્છા દર્શાવે છે, ઘણા લોકોમાં આ પ્રમાણેની ઈચ્છા જોવા મળશે, પરંતુ જો તે દુનિયાની દરેક બાબતમાં પોતાના કરતા નીચલા વર્ગના લોકોને જોશે તો તેના પર અલ્લાહએ કરેલ કૃપા જાહેર કરશે, તેના પ્રત્યે તે વિનમ્ર રહેશે અને તે ભલાઈના કાર્યો કરશે.