આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર મોમિન પોતાના સત્કાર્યોની વિશાળતામાં રહે છે, અને અલ્લાહ પાસે માફી, કૃપા અને દરગુજરની આશા રાખે છે, અહીં સુધી કે તે કોઈને અયોગ્ય કત્લ કરી દે, જેના કારણે તેના કાર્યો સંકોચાઈ જાય છે; કારણકે તે કત્લ જેવા મહાન પાપની ભરપાઈ કરી શકતા નથી.