આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ આદેશ આપ્યો કે જે વ્યક્તિ ઈદુલ્ અઝ્હાના દિવસે જાનવરની કુરબાની કરવા ઇચ્છતો હોય, તો તેણે ઝિલ્ હિજ્જહનો ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના માથા, બગલ અને નાભીની નીચેના વાળ ન કાપવા જોઈએ અને ન તો હાથ પગના નખ કાપે.