આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખશે, અને કહેવામાં આવ્યું કે તે જિહાદ અને અન્ય ઈબાદતોમાં પણ નિખાલસતા સાથે અલ્લાહથી સવાબ અને બદલાની આશા રાખશે, તો અલ્લાહ તઆલા પોતાની કૃપા વડે તેની અને જહન્નમની વચ્ચે સિત્તેર વર્ષ જેટલું અંતર કરી દેશે.