અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ". સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - رواه ابن خزيمة والدارقطني والبيهقي
explain-icon

સમજુતી

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની સુન્નતમાં જે વસ્તુઓ નક્કી કરી તેમાંથી એ પણ છે કે મુઅઝ્ઝિન ખાસ કરીને ફજરની અઝાનમાં ("હય્ય અલલ્ ફલાહ" આવો સફળતા તરફ) કહ્યા પછી, કહે: ("અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ" નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે).

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં (સુન્નત માંથી) કહ્યું: અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત, જેથી આ હદીષનો હુકમ મરફૂઅનો છે અર્થાત્ આ હદીષની નિસ્બત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ છે.
  • મુઅઝ્ઝિનનું ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" (આ સફળતા તરફ) પછી બે વખત "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ્" (નમાઝ ઊંઘ કરતા વધુ શ્રેષ્ઠ છે) કહેવું મુસ્તરહબ છે; કારણ કે ફજરની નમાજ સમયે લોકો સૂઈ ગયા હોય છે, અને તેઓ નમાઝ માટે ઊંઘમાંથી ઊભા થાય છે, એટલા માટે જ ફજર નમાઝને ખાસ કરવામાં આવી, અન્ય નમાઝ સિવાય.